અમદાવાદ : ચોરીના 102 મોબાઈલ ફોન અને સાયકલ સાથે ગેંગના 5 શખ્સો પોલીસ ગિરફ્તમાં..!

New Update
અમદાવાદ : ચોરીના 102 મોબાઈલ ફોન અને સાયકલ સાથે ગેંગના 5 શખ્સો પોલીસ ગિરફ્તમાં..!

ચોરીના મોબાઈલ સાથે ગેંગના 5 શખ્સો ઝડપાયા

ભીડભાડવાળી જગ્યામાં જઈ ચોરીને આપતા અંજામ

102 નંગ મોબાઈલ અને મોંઘીદાટ સાયકલ જપ્ત

અમદાવાદ શહેરની અમરાઇવાડી પોલીસે ચોરીના મોબાઈલ ફોન સાથે ગેંગના 5 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં પોલીસે 102 નંગ મોબાઈલ તેમજ એક મોંઘીદાટ સાયકલ પણ જપ્ત કરી છે.

અમદાવાદ શહેરની અમરાઇવાડી પોલીસે બાતમીના આધારે મોબાઈલ ફોન અને સાયકલની ચોરી કરતી ગેંગના 5 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં પોલીસ 102 નંગ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસે મહમદ શેખ, જિતેન્દ્ર સાહની, ટીકુ ચૌધરી, અમિત ચૂડહરી અને કરણ મહંતની ધરપકડ કરી છે. આ આરોપીઓ ભીડભાડવાળા વિસ્તારોમાં જઈ ખાનગી રાહે મોબાઈલ ચોરી કરી ફરાર થઈ જતા હતા. અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી 102 નંગ મોબાઈલ સહિત એક મોંઘીદાટ સાઇકલ પણ જપ્ત કરવમાં આવી છે. આ આરોપીઓ પાસેથી કુલ 12 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.