અમદાવાદ : ગુનાખોરી ડામવા માટે પોલીસ કમિશનરે જૂની યુક્તિ અપનાવી,દર રવિવારે થશે ગુનેગારોની ઓળખ પરેડ

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે,

New Update
  • શહેર પોલીસ કમિશનરનો એક્શન પ્લાન

  • ગુનાખોરી ડામવા માટે કમિશનરની પહેલ

  • 12 વર્ષ પહેલાની યુક્તિ અપનાવતા કમિશનર

  • હવે દર રવિવારે ગુનેગારોની થશે ઓળખ પરેડ

  • પોલીસ કમિશનર જી એસ મલિકનો એક્શન પ્લાન 

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે,અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા આ ઘટનાની ગંભીરતા લઈને કડક કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી રહી છેશહેરના 28 જેટલા પીઆઇની બદલી કર્યા બાદ હવે પોલીસ કમિશનર દ્વારા ગુનેગારોને ડામવા માટે 12 વર્ષ પહેલા તેઓના દ્વારા અપનાવવામાં આવેલી યુક્તિ ફરીવાર શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક 12 વર્ષ પહેલા શહેર ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતાતે સમયે તેઓએ અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરી ગુનેગારોને દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવી તેઓની ઓળખ પરેડ કરવાની કામગીરી હાથ ધરી હતી.જેના કારણે પોલીસને સતત જાણકારી રહેતી હતી કે કયો ગુનેગાર હાલ શું કરે છે અને તેણે ભૂતકાળના ગુના બાદ કોઈ નવો ગુનો આચર્યો છે કે કેમ. વધુમાં અમદાવાદ શહેર પોલીસ અને ગુનેગારો વચ્ચે બંધાતા સંબંધના કારણે ગુનાખોરી અટકાવવામાં તેમજ ગુના બનતા પહેલા તેને રોકવામાં પોલીસને સફળતા મળતી હતી. તેવામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તે જ જૂની પદ્ધતિ ફરીવાર શરૂ કરી છે. હવેથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દર રવિવારે અમદાવાદના ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવી તેઓની સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપશે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના 1481 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં 303 જેટલા બુટલેગરો21 જુગારના અડ્ડા સાથે જોડાયેલા આરોપીઓ687 શરીર સંબંધી ગુનાઓ આચરનાર આરોપીઓમિલકત સંબંધી ગુના કરનાર 424 જેટલા ગુનેગારો અને NDPS તેમજ અન્ય ગુનાઓ કરનાર 46 આરોપીઓની યાદી તૈયાર કરી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવાની જૂની પદ્ધતિ ફરીવાર શરૂ કરવામાં આવી છે.

તેવામાં આ રવિવારે પહેલા દિવસે જ અમદાવાદ શહેરના 353 ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા.જે ગુનેગારોમાં ચેન સ્નેચિંગ કરનાર 60 આરોપીઓવાહન ચોરી કરનારા 139 આરોપીઓમોબાઈલ સ્નેચિંગ કરનાર 70 આરોપીઓ તેમજ શરીર સંબંધી ગુના આચરનાર 8 અને લૂંટ તેમજ ઘરફોડ ચોરી કરનાર 4 અને અન્ય ચોરી કરનાર 72 આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા.પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા તમામ ગુનેગારોને પોલીસની કડક ભાષામાં સૂચના આપવામાં આવી છે કે ગુનાખોરી તરફ વળશો નહીં નહિતર પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવશે. પોલીસ કમિશનરની સ્પષ્ટ સૂચના હતી કે ભૂતકાળમાં જે આરોપીઓ અલગ અલગ ગુના આચરી ચૂક્યા છે,તેઓ જો હવે કોઈપણ પ્રકારના ગુનામાં પકડાશે તો તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.