અમદાવાદ: રૂ.14 કરોડના ખર્ચે જુનાવાડજનું સ્મશાન બનશે આધુનિક અંતિમધામ

અમદાવાદનું સૌથી જૂનું પૌરાણિક સ્મશાનગૃહનું 14 કરોડ રૂપિયાના ખર્ચે નવનીકરણ કરવામાં આવી રહ્યું છે

New Update
અમદાવાદ: રૂ.14 કરોડના ખર્ચે જુનાવાડજનું સ્મશાન બનશે આધુનિક અંતિમધામ

અમદાવાદનું સૌથી જૂનું પૌરાણિક સ્મશાનગૃહનું 14 કરોડ રૂપિયાના ખર્ચે નવનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જૂનાવાડજનું સ્મશાન આધુનિક અંતિમધામ બનશે.

અમદાવાદ શહેરનું જુનાવાડજ સ્મશાન તરીકે ઓળખાતું મહર્ષિ દધીચિ સ્મશાનગૃહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 14 કરોડના ખર્ચે રી-ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં આજથી વર્ષો પહેલા સાબરમતી નદી કિનારે પશ્ચિમ વિસ્તારમાં વાડજ એક જ માત્ર સ્મશાન હતું અને આ જુના પૌરાણિક સ્મશાનને શહેરનું આધુનિક સુવિધાવાળુ બનાવવાનો નિર્ધાર કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે અને વર્ષ 2022માં આ સ્મશાન નવું બનીને તૈયાર થઈ જશે.

જુના વાડજ સ્મશાન જે અત્યાધુનિક સ્મશાન બની રહ્યું છે તેમાં ખાસિયત એ છે કે, સ્મશાનના કન્સ્ટ્રક્શનમાં જે ઈંટ વાપરવામાં આવી રહી છે તે એક્સપોઝ ઈંટથી બની રહી છે એટલે કે ખુલ્લી પ્રકારની ઈંટોનો આમાં વપરાશ થવાનો છે. લાલ કલરની ઈંટની દિવાલો જે અમદાવાદ આઇઆઇએમમાં જોવા મળે છે તેવી ઈંટોનો આ સ્મશાન બનાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જુના વાડજ સ્મશાનમાં શહેરના સુભાષબ્રિજ, રાણીપ, નારણપુરા, ઘાટલોડિયા અને વાડજ, નવા વાડજ સહિતના આસપાસના વિસ્તારોમાંથી માત્ર આ એક જ વાડજ સ્મશાન હોવાથી ત્યાં સૌથી વધુ લોકોની અંતિમ વિધિ થતી હોય છે. જેના કારણે આ સ્મશાનનો વિકાસ કરવા માટે કોર્પોરેશન દ્વારા આજથી ચાર વર્ષ પહેલા ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના કારણે કામ બંધ રહ્યું હતું. જોકે હવે ફરી એકવાર કોરોનાના વચ્ચે પણ સ્મશાનના વિકાસની કામગીરી શરૂ થઈ ગઈ છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ગુજરાત ATSએ બેંગલુરુથી ધરપકડ કરી...

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.

New Update
  • અલકાયદાના 4 આતંકીની ધરપકડ બાદATSને મળી સફળતા

  • બેંગલુરુથી ઝડપાય અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ મહિલા

  • અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા 4 આતંકીને આપતી માર્ગદર્શન

  • 3 એકાઉન્ટમાં જેહાદી ભાષણોચેટ સહિત પાક.ના સંપર્કો મળ્યા

  • શમા પરવીનનીATS દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાય

ગત તા. 23 જુલાઈ 2025ના રોજ ગુજરાતATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. હવે આ 4 આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનનીATSએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાતATSએ ધરપકડ કરી છે. મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી તે શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ અને પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. શમાનો મોબાઇલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કબજે કરવામાં આવ્યાં છે.

તેના મોબાઇલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યાં છે. એમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. માત્ર એટલું જ નહીંતે ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. 30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છેઅને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. હાલમાં આરોપી શમાને પૂછપરછ માટેATS કસ્ટડીમાં રાખવામાં આવી છેઅને વધુ વિગતો મળવાની રાહ જોવાઈ રહી છે.