અમદાવાદ : વસ્ત્રાલનાં યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.10 લાખનું ઈ-ચલણ ફટકારતા ખાઈ રહ્યો છે કોર્ટના ધક્કા

અમદાવાદનાં વસ્ત્રાલમાં રહેતા યુવકને હેલ્મેટ નહીં પહેરવા બદલ ટ્રાફિક પોલીસે રૂ.10 લાખનો મેમો ફટકાર્યો છે.જેના કારણે યુવક કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છે.

New Update
  • વસ્ત્રાલના યુવકને થયો ટ્રાફિક પોલીસનો કડવો અનુભવ

  • હેલ્મેટ ન પહેરવા બદલ મળ્યું ઇ - ચલણ

  • રૂ.10 લાખનું ઇ-ચલણ મળતા આશ્ચર્ય સર્જાયું

  • યુવક ઈ-ચલણને  લઈને ખાઈ રહ્યો છે કોર્ટના ધક્કા

  • ઈ-ચલણને પગલે પરિવાર સતત ચિંતામાં જીવી રહ્યો છે 

Advertisment W3.CSS

અમદાવાદનાં વસ્ત્રાલમાં રહેતા યુવકને હેલ્મેટ નહીં પહેરવા બદલ ટ્રાફિક પોલીસે રૂ.10 લાખનો મેમો ફટકાર્યો છે.જેના કારણે યુવક કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છે.

અમદાવાદનાં વસ્ત્રાલમાં રહેતા 22 વર્ષીય અનિલ હડિયા પાનનો ગલ્લો ચલાવે છે.11 એપ્રિલ 2024ના રોજ શાંતિપુરાથી ટુવ્હીલર લઈને જતો હતો.ત્યારે ટ્રાફિક પોલીસે ઉભો રાખીને લાઈસન્સ માગ્યું હતું.જે લાઈસન્સનો પોલીસે ફોટો પાડી લીધો હતો. ત્યાંથી થોડે દૂર થતાં જ તેના મોબાઇલ પર ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-ચલણનો મેસેજ આવ્યો હતો.યુવકનું કહેવું છે કેએ વખતે મને ટ્રાફિક પોલીસે મેમો અંગે વાત કરી નહોતી. અને મને કંઈ કીધું નહોતું. જો તેમણે મને એ વખતે જ જાણ કરી હતો તો ત્યાં જ દંડ ભરી દીધો હોત.

જોકે હાલમાં અનિલ છેલ્લા 11 મહિનાથી કોર્ટ અને પોલીસ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.આ મેમો લઇને તે ઘી કાંટા સ્થિત ટ્રાફિકની વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ગયો હતો,પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.ટ્રાફિક પોલીસ અને પોલીસ કમિશનર કચેરીએ અનેક ધક્કા ખાવા છતાં મેમોનો કોઈ નિકાલ આવતો નથી. જેના કારણે તે અને તેનો પરિવાર સતત ચિંતા માં જીવી રહ્યો છે.

 

 

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment