અમદાવાદ : ઝાયડસ ગૃપના ચેરમેન પંકજ પટેલની આવકમાં 919 કરોડ રૂપિયાનો વધારો

ઝાયડસ ગૃપના ચેરમેનની આવકમાં ભારેખમ વધારો, ઝાયડસ ફાર્મા કંપની ઝાયકોવ-ડી રસ નું ઉત્પાદન કરશે.

New Update
અમદાવાદ : ઝાયડસ ગૃપના ચેરમેન પંકજ પટેલની આવકમાં 919 કરોડ રૂપિયાનો વધારો

વિશ્વની સૌ પ્રથમ નીડલ ફ્રી કોરોના વેકસીનનું નિર્માણ કરનારી ઝાયડસ ફાર્મા કંપનીના ચેરમેન પંકજ પટેલની સંપત્તિમાં 919 કરોડ રૂપિયાનો વધારો થયો છે. પંકજ પટેલ દેશના અમીર વ્યકતિઓની યાદીમાં હાલ 22મો ક્રમ ધરાવે છે.

ભારતને ઝાયકો-ડી નામની કોરોનાની અન્ય એક સ્વદેશી વેક્સીન પ્રાપ્ત થઇ છે. આ વેકસીનનું ઉત્પાદન કરનારા ઝાયડસ ગૃપના ચેરમેન પંકજ પટેલની આવકમાં વધારો થયો છે.ઝાયડસે આ વેક્સિનને વિકસાવવા તથા નિર્માણ માટે 500 કરોડનું મુડી રોકાણ કર્યું છે. 20 ઓગસ્ટના રોજ ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા તરફથી ઇમર્જન્સી માટે ઉપયોગ લેવાની મંજુરી આપતા જ તેમની આવકમાં 919 કરોડ વધારો જોવા મળ્યો છે.

ફોબર્સ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્ષના રિયલ ટાઈમ ડેટા મુજબ પંકજ પટેલની નેટવર્થ એક જ દિવસમાં વધીને 44.48 કરોડ પર પહોંચી ગઈ છે. પંકજ પટેલ હાલ ભારતના 22 માં સૌથી અમિર વ્યક્તિ છે જ્યારે વિશ્વમાં 496મુ સ્થાન ધરાવે છે. ઝાયડસ ફાર્મા કંપની દેશની ટોપ 10 કંપનીમાં સ્થાન ધરાવે છે. સ્ટોક એક્સચેન્જના ડેટા મુજબ કેડિલા હેલ્થ કેરના શેરમાં ભારે વધારો જોવા મળ્યો હતો.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલના જણાવ્યાં અનુસાર કોરોનાની વેક્સિન ડેવલપમેન્ટ અને એના ઉત્પાદન પાછળ કંપનીએ અત્યાર સુધીમાં આશારે રૂ. 450-500 કરોડનું રોકાણ કર્યું છે. કંપની આવનારા સમયમાં વેક્સિન સંદર્ભે વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરશે. ટુંક સમયમાં ઝાયકો-ડી નું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદથી રસી બજારમાં મળતી થઈ જશે. પ્રારંભિક તબક્કે સપ્ટેમ્બર અંત સુધીમાં 30-40 લાખ ડોઝનું ઉત્પાદન કરવાનું આયોજન છે.

Read the Next Article

અમદાવાદ 148મી રથયાત્રામાં હાથી ભડકતા મચી હતી અફરાતફરી,ઉશ્કેરાયેલા ગજરાજની મદદે આવ્યું વનતારા

વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ સ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી

New Update
vantara

અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી.આ ટીમમાં બે વન્યજીવ પશુ ચિકિત્સકોછ વરિષ્ઠ મહાવતોતાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતોજે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી,જ્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા હતાજેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરીવર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.

"રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો.તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી," તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશ (આઇએફએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. "વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી," તેમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું.

વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છેજે 998 એકરમાં ફેલાયેલું છેતેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધમાનવસર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસભીખ માંગવાપર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છેજેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે.

તેની સુવિધાઓમાં હાઈડ્રોથેરાપી પૂલકુદરતી તળાવોકાદવના ઢગલાપાણીના ફુવારારેતીના ઢગલા અને સાંકળ-મુક્ત મસ્થ એન્ક્લોઝરનો સમાવેશ થાય છે .જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુનઃપ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે.જેમાં પશુચિકિત્સકોજીવ વિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે. જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિકકરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.

Latest Stories