ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 9800 કરોડથી વધુના MOU સંપન્ન…

New Update
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 9800 કરોડથી વધુના MOU સંપન્ન…

ગુજરાતમાં 11 હજાર સૂચિત રોજગારીની તકો ઊભી થશે

Advertisment

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રૂ. 9,800 કરોડના MOU સંપન્ન

વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરતમાં સ્થપાશે નવા ઉદ્યોગો

રાજ્ય સરકારે રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના ગત ઓક્ટોબર-2022થી જાહેર કરી છે. આ યોજના હેઠળ રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 18 જેટલા MOU પણ થયા છે, ત્યારે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂપિયા 9,800 કરોડથી વધુના MOU સંપન્ન કરવામાં આવ્યા હતા.

આ MOU અંતર્ગત શરૂ થનાર ઉદ્યોગોથી 11 હજાર જેટલી સૂચિત રોજગારીની તકો ઊભી થશે. જેમાં રાજ્યના વડોદરામાં 3, અમદાવાદના ભાયલામાં 2 અને સાણંદમાં 2 ઉદ્યોગો શરૂ કારવા રાજ્ય સરકાર કટિબદ્ધ થઈ છે. એટલું જ નહીં, ભરૂચ જિલ્લાના દહેજ, સાયખા અને પાલેજમાં પણ 4 ઉદ્યોગો શરૂ કરવામાં આવનાર છે. તો સુરત જિલ્લાના પલાસાણા અને સચિનમાં વધુ 2 ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત કચ્છમાં 1 અને સાબરકાંઠાના હિમંતનગરમાં 2 ઉદ્યોગો શરુ થશે.


Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories