રાજ્યમાં ધીમી ધારે વરસાદની હેલી, અમદાવાદમા પવન સાથે વરસાદની આગાહી.

રાજ્યમાં ચોમાસાની આગાહીના પગલે ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે.મેઘરાજાએ અનેક તાલુકાઓમાં પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે.

New Update

રાજ્યમાં ચોમાસાની આગાહીના પગલે ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે.મેઘરાજાએ અનેક તાલુકાઓમાં પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગ અનુસાર આગળ પણ વરસાદી માહોલ યથાવત રહેશે.

રાજ્યમાં ચોમાસાએ પોતાની દસ્તક દઈ દીધી છે. ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે  અને મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 84 તાલુકાઓમાં મેઘો થયો મહેરબાન થયો હતો. જેમાં  સૌથી વધુ ટંકારામાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત આજે રાજ્યના 10 થી વધુ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આજે પાટણ, અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે. તો ગઈ કાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ વાત કરીયે તો ટંકારામાં  સવા 4 ઈંચ, કોડીનારમાં સવા 3 ઈંચ, જૂનાગઢમાં 3 ઈંચ, તો દાંતામાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે બીજી બાજુ જેતપુરમાં પણ 2 ઈંચ, સુત્રાપાડામાં પોણા 2 ઈંચ, કાલાવડમાં પોણા 2 ઈંચ, મેંદરડામાં પોણા 2 ઈંચ, વેરાવળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.તો વાંકાનેરમાં સવા ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. હળવદમાં 1 ઈંચ, ડભોઈમાં 1 ઈંચ, છોટા ઉદેપુરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. વરસાદના પગલે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. 

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.