વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બાનું નિધન,મોદીએ ટ્વીટ કરી કહ્યું એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બાનું નિધન,મોદીએ ટ્વીટ કરી કહ્યું એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

પી.એમ.મોદીના માતા હીરાબાનું નિધન

યુ.એન.મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પી.એમ.મોદીએ ટ્વીટ કરી આપી જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બાનું 100 વર્ષની વયે નિધન થયું છે તેઓએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે.આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી છે.પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું - એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી હતી. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી.

Latest Stories