ગુજરાતમાં નવા 1325 કેસ નોંધાયા, તો 15 દર્દીઓના નિપજ્યાં મોત

Update: 2020-12-08 16:06 GMT

આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1325 કેસ નોંધાયા છે, તો 1531 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે જ સાજા થવાનો દર 91.70 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,03,111 દર્દીઓએ કોરોનાના મ્હાત આપી છે. રાજ્યમાં નવા દર્દીઓની સાથે કુલ કેસનો આંકડો 2,21,493 પર પહોચી ગયો છે.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14272 છે અને તેમાંથી 78 વેન્ટિલેટર પર છે અને 14194 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 15 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 4110 પર પહોંચ્યો છે. અમદાવાદમાં જિલ્લામાં નવા 294, સુરત જિલ્લામાં 214 , વડોદરા જિલ્લામાં 171 કેસ નોંધાયા છે.

Tags:    

Similar News