અમદાવાદ : જમાલપુર બ્રિજ નજીક પોલીસ કરી રહી છે સઘન ચેકિંગ, બહાર નીકળતા પહેલા વિચારજો
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ ઝડપથી પગપેસારો કરી રહયો છે ત્યારે પોલીસ પણ હવે કામ વગર બહાર નીકળનારાઓ સામે કડક હાથે પગલાં ભરી રહી છે.
અમદાવાદ શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. શહેરના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર સઘન ચેકિંગ કરાઇ રહયું છે. જમાલપુર બ્રિજ નીચે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.જે પણ વ્યક્તિ જે કામ વગર ઘરની બહાર નીકળયા છે તે લોકોના વાહન ડિટેન કરવામાં આવે છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા નીકળેલા લોકોને પોલીસ સહયોગ કરી રહી છે.