ભરૂચ : અંકલેશ્વરના માલી ખડકીમાં 2 માળનું બંધ મકાન થયું ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

Update: 2020-08-13 11:47 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગત બુધવારના રોજ રાત્રિના સમયે ભારે વરસાદના કારણે માલી ખડકીમાં આવેલ બે માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગત બુધવારના રોજ રાત્રિના સમયે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના માલી ખડકી વિસ્તારમાં આવેલું બે માળનું જર્જરીત અને બંધ હાલતમાં રહેલું મકાન અચાનક ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા જ આસપાસના રહીશોમાં ભારે નાશભાગ મચી જવા પામી હતી.

જોકે મકાન માલીક અન્ય વિસ્તારમાં રહેતા હોવાથી મકાન ઘણા મહિનાઓથી બંધ હાલતમાં હતું. જેના કારણે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બનાવની જાણ આસપાસના રહીશોએ મકાન માલિકને કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે મકાન માલિક દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી.

Similar News