અંકલેશ્વર : શિવરાત્રીના મહાપર્વની ઉજવણી, શિવજીના આશિષ પામવા કરાયો અભિષેક

Update: 2020-02-21 12:07 GMT

અંકલેશ્વર શહેર તથા તાલુકામાં મહા શિવરાત્રી પર્વની ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શિવજીના આશિષ પામવા શિવલિંગ પર દુધ અને જળથી અભિષેક કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરવાસીઓએ પણ શિવરાત્રીના દિવસે શિવજીની પુજા અર્ચના કરી હતી. શહેરમાં આવેલાં માનવ મંદિર, પશુપતિનાથ મંદિર તથા રામકુંડ ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ હાજર રહી પુજા અર્ચના કરી હતી. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં પણ શિવરાત્રીની ઉજવણી કરાઇ હતી.

Similar News