ભરૂચની
કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા
હતાં.
ગુજરાત
સરકારના તમામ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળેલ છે પરંતુ પોલિટેકનીક કોલેજના
અધ્યાપકોને સાતમુ પગાર પંચ નહીં આપી ગુજરાત સરકારે અન્યાય કર્યો હોવાની લાગણી સાથે
પોલીટેકનીક કોલેજના આધ્યાપકોમાં રોષ જોવા મળી રહયો છે. સાતમા પગાર પંચનો લાભ
આપવાની માંગણી સાથે સોમવારના રોજ ભરૂચની કે.જે. પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ
વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કાળા વસ્ત્રો ધારણ કરી સરકારના વલણને વખોડી
નાંખ્યું હતું.