ભાવનગર : વલ્લભીપુરમાં લગ્નમાં કરાયેલા ફાયરીંગમાં યુવાનનું મોત, જુઓ શું છે ઘટના

Update: 2020-02-16 11:40 GMT

ભાવનગરનાવલ્લભીપુર

ગમે લગ્ન પ્રસંગમાં કરાયેલા ફાયરીંગમાં ગોળી વાગવાથી એક યુવાનનું મોત થયું છે

જયારે અન્ય એકને ઇજા થતાં સારવાર હેઠળ છે. ઘટના બાદ લગ્નનો શુભ પ્રસંગ માતમમાં

ફેરવાય ગયો હતો.

સૌરાષ્ટ્ર

પંથકમાં લગ્ન પ્રસંગમાં હવામાં ગોળીબાર કરવાની પરંપરા ચાલી આવતી હોય છે. આ પરંપરા

ઘણી વખત જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે આવો જ કિસ્સો ભાવનગરના વલ્લભીપુર ગામે

બન્યો છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના પચ્છેગામ ખાતે પચ્છેગામ ખાતે રામદેવસિંહ

તખુભા ગોહિલના પુત્ર ધમભા ગોહિલના લગ્ન પ્રસંગે દાંડિયા રાસનું આયોજન કરાયું હતું.

દાંડીયારાસમાં આવેલાં  મહેમાન પૈકી

કોઈએ ફાયરીંગ કરતાં શકિતસિંહ જાડેજા અને પ્રયરાજસિંહ જાડેજા ઘાયલ થયાં હતાં. અચાનક

બનેલી ઘટનાથી પ્રસંગમાં દોડધામ મચી ગઇ હતી. બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં

હતાં જયાં પ્રયરાજસિંહ જાડેજાનું મોત થયું હતું. હાલ તો પોલીસે ફાયરીંગ કરનારા

મહેમાનને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News