ભાવનગર : મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે મોરારિબાપુએ કર્યું ધ્વજવંદન

Update: 2021-08-15 12:28 GMT

ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે રામ કથાકાર મોરારિબાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્ર સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે મોરારિબાપુએ મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે મહાનુભાવોની ઉપસ્થતિમાં ધ્વજવંદન કર્યું કર્યું હતું. આ પ્રસંગે તેઓએ સમગ્ર રાષ્ટ્ર સમાજને શુભકામનાઓ પાઠવી હતી. મહુવા કૈલાસ ગુરુકુળમાં તુલસી જયંતિ મહોત્સવ સાથે રાષ્ટ્રીય પર્વ મનાવવામાં આવ્યો હતો. જેમાં તુલસી સંગોષ્ઠી નિમિત્તે સામેલ રહેલા વિદ્વાનો પણ જોડાયા હતા. કૈલાસ ગુરુકુળના જયદેવ માંકડના સંકલન તેમજ હરિશ્ચંદ્ર જોષીના સંચાલન સાથે સમગ્ર કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવ્યો હતો.

Tags:    

Similar News