કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાંથી હત્યા કરી દેવાયેલ એક ઇસમનો મૃતદેહ મળી આવ્યો

Update: 2019-01-15 11:32 GMT

કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાંથી પથ્થર તથા કોઇ બોથડ પદાર્થનો માથામાં ઘા ઝીંકી હત્યા કરી દેવાયેલ હલદરવા ગામના એક ઇસમનો મૃતદેહ મળી આવતા વિસ્તાર માં અરેરાટી વ્યાપી ગઈ છે.

પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં હલદરવા ગામમાં રહેતા રણછોડભાઇ જેઠાભાઇ વસાવાનો હત્યા કરી ઝાડ સાથે બાંધી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી કરજણ તાલુકાના હલદરવા ગામની નવીનગરીમાં રહેતા રણછોડભાઇ જેઠાભાઈ વસાવા ગત શનિવારના રોજ પાલેજ ટેપ રિપેર કરાવવા ગયા હતા.

પરંતુ તેઓ પરત ન ફરતા એમની પત્નીએ નણદોઇભાઇને પોતાના પતિના ખેતરે સિંગો તોડવા મોકલતા રમીલાબેનના નણદોઇ ભાઈએ દુરથી સમડી ના ઝાડ નીચે રણછોડભાઇને માથાના ભાગે ઘા સાથેનો મૃતદેહ પડેલો જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.

જેની જાણ ગામના સરપંચને કરતા હત્યાની સમગ્ર ઘટના સામે આવી હતી. રણછોડભાઇના મૃતદેહ બાબતની જાણ કરજણ પોલીસને કરાતા કરજણ પોલીસ સહિત ડી વાય એસ પી, વડોદરા ગ્રામ્ય એલ સી બી, એસ ઓ જી, ડોગ સ્કવોડ સહિતનો કાફલો હલદરવા ગામની સીમમાં આવી પહોંચી તપાસ હાથ ધરી છે હાલ તો રણછોડભાઇની હત્યા કોણે કરી..? અને કયા કારણોસર હત્યાને અંજામ આપવામાં આવ્યો તે તો ગુનેગારો પકડાયા બાદ જ ખબર પડશે કરજણ પોલીસે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

Similar News