કચ્છ : ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સાધુ અક્ષર નીવાસી થયા, હરિભક્તોમાં છવાઈ ગમગીની

Update: 2020-01-03 11:41 GMT

કચ્છ જિલ્લાના ભુજ સ્વામિનારાયણ મંદિરના સાધુ અક્ષર નીવાસી થતા હરિભક્તોમાં ગમગીની છવાઈ હતી. સદગુરુ સ્વામિ મુકુંદ પ્રસાદદાસજીએ અક્ષર કેરી વાટ પકડી હતી.

ભુજ સ્વામીનારાયણ મંદિરમાં સાધુ તરીકે તેઓએ અનેક મુમુક્ષુઓને ધર્મના માર્ગે વાળ્યા હતા. જ્યારે 86 વર્ષની વયે અખંડ હરિસ્મરણ કરતા સ્વામીએ અંતિમ વિદાય લીધી હતી. નિજ મંદિરમાંથી બપોરના સમયે નીકળેલી પાલખી યાત્રામાં હજારો હરિભક્તો જોડાયા હતા. મંદિરની વાડિમાં સાધુ સંતો અને ભક્તોની હાજરીમાં સ્વામીજીનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

Similar News