નવસારી જલાલપોર વિસ્તારના રાજપૂત ફળીયા ૮૦ વર્ષ જૂનું અને જર્જરિત મકાન થયું ધરાશાયી
વરસતો વરસાદ ખુશીના સમાચારો સાથે નુક્શાનીઓ પણ કરાવતી સાબિત થઈ રહ્યો ક્યાંક પાણી ઘરોમાં તો કયાંક ફળિયાઓમાં પાણી તો બીજીતરફ જુનામકાનો ધરસાયી. હા નવસારી શહેરમાં મકાન જમીનદોસ્ત થવાની આ ત્રીજી ઘટના સામે આવી છે.
જલાલપોર વિસ્તારના રાજપૂત ફળીયા ૮૦ વર્ષ જૂનું અને જર્જરિત મકાન આજે વહેલી સવારે ધરસાયી થયું છે જેમાં 3 લોકોનો આબાદ બચાવ થયો છે તો ઘરવખરીનો સમાન કાટમાળમાં દબાયો છે નોટિસ આપતી પાલિકા જર્જરિત થયેલા નવસારી શહેરના 250 થી વધારે મકાનો હાલ વરસાદને લઈને જોખમી બન્યા છે ત્યારે પાલિકા પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરીને જર્જરિત આવાસો માટે કોઈ કદમ ઉઠાવે એવી માંગ ઉઠી છે.