World Animal Day 2020 : જાણો કેમ 4 ઓકટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ ઉજવાય છે

Update: 2020-10-04 04:10 GMT

વર્લ્ડ એનિમલ ડે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રાણી અધિકારો અને તેમના કલ્યાણ વગેરેને લગતા વિવિધ કારણોની સમીક્ષા કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પ્રાણી દિવસ નિમિત્તે, લોકોને ચર્ચામાં જોડાવવા અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા, પશુઓના અધિકારનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનું છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીયતા, આસ્થા, ધર્મ અને રાજકીય વિચારધારાની જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. વ્યક્તિઓ, જૂથો અને સંગઠનોના સમર્થન અને ભાગીદારી દ્વારા વિશ્વભરમાં પશુ કલ્યાણના ધોરણોને સુધારવાના ઉદ્દેશથી વર્લ્ડ એનિમલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

જર્મનીના બર્લિનના સ્પોર્ટસ પેલેસમાં 24 માર્ચ, 1925 ના રોજ હેનરીક ઝિમ્મરમેન દ્વારા વર્લ્ડ એનિમલ ડે નું પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસનો મુખ્ય હેતુ લુપ્ત પ્રાણીઓનું રક્ષણ અને માનવો સાથેના તેમના સંબંધોને મજબૂત બનાવવાનો છે આંતરરાષ્ટ્રીય એનિમલ ડે એ કલ્પના પર કામ કરે છે કે દરેક પ્રાણી એક અનોખા સંવેદનશીલ પ્રાણી છે અને તેથી તે સહાનુભૂતિ અને સામાજિક ન્યાયને પાત્ર છે.

Tags:    

Similar News