આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ

Update: 2019-02-18 09:09 GMT

આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું સત્ર મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી આ વખતે મળનારા બજેટ સત્રમાં ફક્ત લેખાનુદાન રજૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

વિધાનસભાના આ સત્રમાં ભાજપ સરકાર કોંગ્રેસે સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડી છે. એલઆરડી પેપર લીક કાંડ, ભ્રષ્ટાચાર તેમજ રાજ્યમાં ખેડૂતોને મૂંઝવતા વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ સરકાર પણ વિપક્ષને જવાબ આપવા માટે સરકારની સિદ્ધિઓ દર્શાવશે. આ ઉપરાંત વિપક્ષ જે પ્રશ્નો ઉભા કરે તેના જવાબો કેવી રીતે આપવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોએ શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો શહીદના પરિવારોને ધારાસભ્ય તરીકે મળતો એક એક પગાર આપશે.

Similar News