આમોદમાં ગણેશ વિસર્જન માટે તંત્ર સજ્જ

Update: 2017-08-31 09:25 GMT

આમોદમાં યોજાનાર ગણેશ વિસર્જનને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અને એક જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યુ છે.

આમોદ શહેરમાં યોજાનારા ગણેશ વિસર્જનની યાત્રા નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા આમોદ જંબુસરનો રસ્તો 3 થી 7 સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તે અંગેનું તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડયુ છે.

તારીખ 01 / 09 / 2017 ને શુક્રવારે આમોદ શહેરમાં યોજાનારા ગણેશ વિસર્જન યાત્રા સમયે લોકોને અસુવિધા ઉભી ન થાય તે અંગે આમોદ તરફ આવતા વાહન વ્યવહારને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે, તેમજ શુક્રવારનાં રોજ બપોરનાં 3 કલાક થી સાંજનાં 7 કલાક શુધી આમોદ ગામ તરફ આવતા રસ્તાને બંધ કરવામાં આવ્યો છે.

આમોદ થી ભરુચ જતા વાહન ચાલકોએ વાયા સરભાણ પાલેજ થઇ ભરુચ તરફ જવું પડશે.જયારે ભરૂચ થી આમોદ તરફ આવતા વાહન ચાલકોએ દયાદરા થી પાલેજ, સરભાણ થઇ આમોદ તરફ આવવા માટેનું તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા પરીપત્રમાં જણાવવામાં આવ્યું છે.

 

Similar News