હવે તા. ૨૩નાં રોજ બુધવારે બપોરે કર્ણાટકનાં મુખ્યમંત્રીપદના શપથ લેશે કુમારસ્વામી : શપથવિધિની તારીખમાં થયો ફેરફાર
સોમવારે રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોવાથી કુમારસ્વામી ગાંધી પરિવારને મળવા જશે. કર્ણાટકમાં જનતાદળ એસના એચ ડી કુમારસ્વામી બુધવાર તા. ૨૩મી મેં ના રોજ બપોરે ૧૨.૩૯ મિનિટે શપથ લેશે. કોંગ્રેસ અને જનતાદળ એસની મિશ્ર સરકાર આ પહેલા સોમવારે બપોરે ૧ થી ૨ વચ્ચે શપથ લેવાની હતી પરંતુ સોમવારે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોય કુમારસ્વામી સોમવારે ગાંધી પરિવારને મળવા જશે.