ગુજરાતમાં પરિવર્તન કે નવસર્જન કાઉન્ટડાઉન શરુ

Update: 2017-12-18 02:30 GMT

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેની મતગણતરી માટેનું કાઉન્ટડાઉન શરુ થયું છે. અને ચૂંટણીપંચે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેતા હવે ટૂંક સમયમાં મતગણતરી શરુ કરવામાં આવશે. રાજ્યમાં સત્તાનું પુનરાવર્તન થશે કે નવસર્જન તે જાણવા માટે ગુજરાતના નાગરિકો સહિત સમગ્ર દેશ આતુર છે.

[video data-width="640" data-height="352" mp4="https://gujarati.connectgujarat.com/wp-content/uploads/2017/12/cde8a9d5-4049-4d99-b568-9cffdc4b1124.mp4"][/video]

રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પરથી થનાર મતગણતરીમાં 1828 ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ જશે. સાથે જ ખૂબ ઝડપથી ગુજરાતનો તાજ કોના શિરે આવશે તે પણ નક્કી થઈ જશે. પ્રથમ તબક્કામાં ઈવીએમમાં પડેલા મતોની ગણતરી થશે ત્યારે બાદ પોસ્ટલ બેલેટથી મળેલા મતોની ગણતરી હાથ ધરાશે.

Tags:    

Similar News