જયપુરમાં ઈન્ડિગો એરલાઈન્સ નો પ્લેન એરોબ્રિજ સાથે ટક્કરાયું , 174 મુસાફરોનો આબાદ બચાવ
6મી મેના શનિવારના રોજ રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર સવારે ઈન્ડિગો પ્લેન એક એરોબ્રિજ સાથે ટકરાઈ ગયું હતું, જોકે વિમાનમાં સવાર મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા.
ઈન્ડિગો વિમાન દિલ્હીથી રવાના થઈ જયપુર એરપોર્ટ પર આવી રહ્યું હતું,તે દરમિયાન આ ઈન્ડિગો એરક્રાફ્ટનું એક પાંખિયું એરબ્રિજ સાથે ટક્કરાયું હતું, ,જેને પગલે વિમાનનું પાંખિયું તૂટી ગયું હતું,જોકે મોટી ઘટના બનતી રહી ગઈ હતી,આ પ્લેન 174 જેટલા મુસાફરો હતા, જોકે તેમને કોઈ જાનહાની થઈ ન હતી અને તેમને સુરક્ષતિ રીતે બચાવી લેવાં આવ્યા હતા.