જાણો શું હશે બર્થડે બોય વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું આજનું ડિનર

Update: 2016-11-05 13:30 GMT

આગામી તારીખ 9 નવેમ્બરથી લઈ 13મી નવેમ્બર સુધી ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. તે અંતર્ગત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજે રાજકોટ આવી પહોચ્યા છે.

સમગ્ર ટીમ સહીત ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી પણ રાજકોટ તેમની ગર્લફ્રેન્ડ સાથે આવી પહોચ્યા હતા. બંને એ રાજકોટ પહોચ્યાં બાદ હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે કેક કાપી બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

આજે વિરાટ અને અનુષ્કા માટે હોટલ સ્ટાફ દ્વારા કાઠિયાવાડી ભોજન પીરસવામા આવશે. ફૂડ મેનેજર નિતિન સુર્યવંશીએ કનેકટ ગુજરાતની ટીમ સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે વિરાટ જ્યારે પણ રાજકોટ આવે છે. ત્યારે તે કાઠિયાવાડી ફુડ પ્રિફર કરે છે.

ત્યારે આજે તેમના માટે દાલ

કઢ્ઢી

ભરેલાં રીંગણાનુ શાક

પરોઠા

તેમજ બાજરાના રોટલા બનાવવામાં આવશે.

આ સહીત ટીમના અન્ય ખેલાડીઓ માટે કાઠિયાવાડી ફુડની સાથો સાથ કોન્ટીનેન્ટલ ફુડ આપવામાં આવશે

 

Similar News