ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ રમાનાર છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
ત્યારે ટીમ ઇન્ડિયાના ચાર ખેલાડીઓ ગૌતમ ગંભીર, ઇશાંત શર્મા, અમિત મિશ્રા અને જયંત યાદવનું સવારે રાજકોટમાં આગમન થયું હતું. ખેલાડીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ પર ચાહકોની ભારે ભીડ જામી હતી અને ખેલાડીઓ સાથે સેલ્ફી લીધી હતી.
કેપ્ટન કોહલી સહિતના અન્ય ખેલાડીઓ 11.35 વાગે પહોંચ્યા હતા. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સહિત મુરલી વિજય, અશ્વિન, અજિંક્ય રહાણે, રિધ્ધિમાન સહા, મહોમ્મદ સામી, ઉમેશ યાદવ, કરૂણ નાયર અને અનિલ કુંબલે પણ 11.35 વાગે રાજકોટ આવી પહોંચ્યા હતા.