દાહોદ : ધાનપુરના પિપેરો ગામમાં યોજાઇ ગાંધી સંકલ્પ યાત્રા

Update: 2019-11-04 08:09 GMT

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પિપેરો ગામની ચોકડી પાસેથી ગાંધી સંકલ્પ યાત્રાનો

પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંદાજે 6 કિમી સુધી ગાંધી સંકલ્પ યાત્રા બાદ શ્રી રાજ હાઈસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દાહોદ જિલ્લાના

સાંસદ જસવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્ય સરકારના ગ્રામ ગૃહ

નિર્માણ અને પશુપાલન મંત્રી બચુ ખાબડ, દાહોદ જીલ્લા

પ્રમુખ શંકર આમલિયાર, ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ

રાધા મોહનીયા, જીલ્લા સદસ્યો તેમજ તાલુકા સદસ્યો તેમજ મોટી

સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Similar News