પંજાબમાં થયેલ માર્ગ અકસ્માતમાં 13 શિક્ષકો મોતને ભેટ્યા

Update: 2016-12-09 07:49 GMT

પંજાબમાં ગાઢ ધુમ્મસને કારણે વાહન લઈને જતા 13 શિક્ષકોને અકસ્માત નડયો હતો જેમાં તેમનું વાહન ટ્રક સાથે અથડાતા તેઓના કરુણ મોત નિપજ્યા હતા.

આ અકસ્માત ફઝીલ્કા-ફિરોઝપુર હાઇવે પરના એક ગામ નજીક બન્યો હતો જેમા ભોગ બનનારમાં મહિલા શિક્ષકો તેમજ નવા નિમાયેલા શિક્ષકોનો સમાવેશ થાય છે તેમાં મોટા ભાગના સરકારી શાળાઓના શિક્ષકો હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર વાહનમાં કુલ 15 શિક્ષકો હતા જેમાં 13ના મોત થયા હતા જયારે બે ને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ ઇજાગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ત્યાંથી ભાગી છૂટ્યો હતો જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતુ તેમજ આ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

 

Similar News