પૂર્વ મેયર સમીર કુમાર અને તેમનાં ડ્રાઈવર પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી
બિહારનાં મુઝફ્ફરપુરાનાં નગર પોલીસ સ્ટેશન અંતર્ગત ફાયર ઑફિસ પાસે રવિવાર સાંજે ઓટોમેટિક વેપન દ્વારા કોઈ અજાણ્યા લોકોએ પૂર્વ મેયર સમીર કુમાર અને તેમનાં ડ્રાઈવર પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી દીધી હતી. પોલીસ સુપરિટેન્ડેન્ટ મુકુલ રંજને જણાવ્યું કે, પૂર્વ મેયર સમીર કુમાર અને તેમનાં ડ્રાઈવર રોહિત કુમારનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ-હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
પૂર્વ મેયર પર હત્યા કરનાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસ સુપરિટેન્ડેન્ટ મુકુલ રંજને જણાવ્યું કે, હત્યા કરવા માટે ગુનેગારોએ એકે ૪૭નો ઉપયોગ થયો હોય તેવું લાગી રહ્યું છે. તેઓએ જે પ્રમાણે અંધાધૂંધ ગોળીબાર કર્યો છે તે જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓએ હત્યા કરવા માટે ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હશે