ભરૂચ નર્મદા ચોકડી પર ST બસ પલ્ટી ખાતા ૧૦ મુસાફરો ઘાયલ

Update: 2019-03-20 05:46 GMT

કોઇ જાનહાની ન થતા હાશકારો, એસ.ટી.બસ પાટણથી નાસિક જતી હતી.

ભરૂચ નર્મદા ચોકડી ઉપરા ગત મોડી રાતે પાટણ થી નાસિક જતી એસ.ટી.બસ એકાક પલ્ટી ખાઇ જતા અફરાતફરી મચી હતી.જો કે આ ઘટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="88184,88185,88186,88187,88188,88189,88190,88191,88192,88193,88194,88195"]

પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ભરૂચ નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી પર ગત મોડી રાતે પાટણ થી નાસિક જતી એસ.ટી. બસ નં. GJ-18-Z-3116 અચાનક પલ્ટી ખાઇ જવાની ઘટના બનત મુસાફરોની ચિચયારીઓથી નર્મદા ચોકડી ગુંજી ઉઠી હતી. આ ઘટનામાં બસમાં સવાર ૧૦ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમને ઘટનાને પગલે દોડી આવેલા લોકોએ સલામત રીતે બસની બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર અર્થે ખસેડ્યા હતા.

એકાએક બસ પલ્ટી ખાઇ જતા થોડા સમય માટે ટ્રાફીક જામ ના દ્રષ્યો સાથે ભાગદોડ મચી જવા પામી હતી.જો કે પોલીસે સમયસર પહોંચી પરિસ્થીતિ પર કાબુ મેળવી ટ્રાફીક યથાવત કર્યો હતો.આ ઘટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશ્કારો અનુભવ્યો હતો.

 

Similar News