ભરૂચ સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ભક્તિસભર ઉજવણી

Update: 2017-07-09 11:43 GMT

અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમાના પાવન અવસર પ્રસંગે ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા ભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સનાતન ધર્મ પરિવારના ગાદી પતિ શ્રી સોમદાસ બાપુના દર્શનનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

આ પાવન અવસર પ્રસંગે ભક્તોએ ગુરુવંદન, ગુરુપૂજન સહિત ભજનકિર્તન થકી ગુરુપૂર્ણિમાની ભક્તિરસભરી ઉજવણી કરી હતી અને શ્રી સોમદાસ બાપુના આર્શીવચનનો લ્હાવો લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

 

Similar News