ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અાવેલા ડુંગરી વિસ્તારમાં સુપ્રસિધ્ધ હજરત બાવા રેહાન ર.અ. ના સંદલ શરીફ તથા ઉર્સ શરીફની મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી.
ગતરોજ મોડી સાંજે હજરત બાવા રેહાન ર.અ. ની દરગાહ શરીફ પર સૈયદ ઝુનેદબાવા સાહેબ, સૈયદ ઇરફાનબાવા સાહેબ તથા અન્ય સાદાતે કિરામના હસ્તે સંદલ શરીફની રસ્મ અદા કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સંદલ શરીફ પ્રસંગે રોઝા મુબારક પર ફુલચાદરો અર્પણ કરાઇ હતી. સલાતો સલામ તેમજ દુઅાઓના પઠન સાથે ઉર્સનું સમાપન થયું હતું.