ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજાની પુનઃ નિમણુંક કરવામાં આવતા તેઓએ વિધિવત રીતે પોતાનો કાર્યભાળ સંભાળ્યો હતો.
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ થી પૂજન અર્ચન કરીને પદભાર સંભાળ્યો હતો, આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં શાંતિ અને સલામતી સરકારની અગ્રીમતા રહેશે, તેમજ દારૂબંધીનાં કડક અમલની ખાતરી પણ તેઓએ આપી હતી.