દેશના ટોચના વકીલ રામ જેઠમલાણીની અધિકૃત બાયોગ્રાફી 'ધ રિબેલઃ અ બાયોગ્રાફી ઓફ રામ જેઠમલાણી' પર આધારિત બાયોપીકનું નિર્માણ કરવાનો નિર્ણય રોની સ્ક્રુવાલાએ લીધો છે. આ બાયોપીકનું નિર્દેશન રાજકુમાર ગુપ્તા કરે છે. મોટી ઉમરનાં જેઠમલાણીનું પાત્ર ભજવવા માટે રોનીએ અમિતાભ બચ્ચન પર પસંદગી ઉતારી છે.
રોની મોટી અને કમર્શિયલ ફિલ્મ નથી બનાવવા માંગતા પણ દેશના ભાગલા થયા ત્યારે એક નાનકડો છોકરો પલાયન કરી ગયો અને આગળ જતા દેશનો ટોચનો વકીલ બન્યો એે વાર્તા રોની યથાવત બતાવવા માગે છે.