લગ્નપ્રસંગે રાજસ્થાનનો પરંપરાગત પોશાક લગાવશે ચાર ચાંદ

Update: 2016-07-14 11:55 GMT

ફિલ્મ જોધા અકબરમાં ઐશ્વરીયાનો લુક કદાચ દરેકને પસંદ આવ્યો હશે. તેમાં તે પરંપરાગત રાજસ્થાની લુકમાં ખૂબ જ ખીલી ઉઠી હતી. ત્યારબાદ જોધા-અકબર સીરિયલ માં પણ જોધા બનેલી પરિધિ શર્માએ પણ રાજપૂતી પોશાકમાં સૌના મન મોહી લીધા હતા.

તે એ બાબતનું પ્રતિબિંબ છે કે આજના આધુનિક સમયમાં ભારતની પરંપરાગત ફેશન હજી પણ જીવંત છે.જે ફેશનની સાથે સાથે આપણને આપણા મૂલ્યો અને સંસ્કૃતિથી સંલગ્ન રાખે છે.

લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગે હેવી ચોલી કે સાડીના સ્થાને રાજસ્થાની પોશાક ધારણ કરીને એક આકર્ષક લુક મેળવી શકાય છે. તેમાં પણ જો રાજસ્થાની જ્વેલરીનો સંગમ કરવામાં આવે તો ચાર ચાંદ સમાન લાગી શકે છે.

Similar News