લોકગાયિકા દિવાળીબેન ભીલનું નિધન

Update: 2016-05-19 09:45 GMT

ગુજરાતના જાણીતા લોક ગાયિકા દિવાળીબેનનું 86 વર્ષની વયે આજે જૂનાગઢ ખાતેના તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બિમાર હતા.

દિવાળીબેન ભીલે 1970થી 1980ના દશકમાં અનેક ગુજરાતી ફિલ્મોના ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો.

તેમના લોકપ્રિય ગીતોમાં પાપ તારુ પરકાશે જાડેજા, ધરમ તારો સંભાળજે, મારે ટોડલે બેઠો મોર ક્યા બોલે, સોના વાટકડી કેસર ઘોળ્યા વાલમિયા, હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાતી લોકસંગીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકારે 1991માં દિવાળીબેન ભીલને પદ્મશ્રી આપી સન્માનિત કર્યા હતા.

Similar News