સુરત: ભારતની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હુમલાની સમગ્ર દેશની જનતાએ આવકાર્યો

Update: 2019-02-26 08:10 GMT

પુલવામાં થયેલા આતંકી હુમલાનો ભારતે બદલો લીધો છે.

પાકિસ્તાન માં આવેલ આતંકવાદીઓ ના કેમ્પ પર ભારત ની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હુમલા ની સમગ્ર દેશ ની જનતા એ આવકર્યો છે. પુલવામાં ના હુમલા બાદ આતંકીઓ ને પાઠ ભણાવવાની માંગણીઓ થઈ રહી હતી. આ પ્રકાર ની કાર્યવાહી સામે સુરતવાસીઓ શું કહી રહ્યા છે એ જાણીએ...

પુલવામાં આતંકી હુમલાનો ભારતે આજે બદલો લીધો છે વાયુસેનાએ પોકમાં હુમલો કરી આતંકીઓના ઠેકાણા ઉડાવી દીધા છે ત્યારે દેશભરના લોકોમાં ઉત્સાહનો માહોલ છે દેશના તમામ નાગરિકની માંગ હતી કે પુલવામાં આતંકીઓના ઈટનો જવાબ પત્થરથી આપવામાં આવે ત્યારે આજે ભારતીય સેનાએ જવાબ આપી દીધો છે. અંદાજીત ૨૦૦ થી ૩૦૦ આતંકવાદીઓનો ખાતમો ભારતીય સેનાએ કર્યો છે. સુરતમાં આ કાર્યવાહીને લઈને લોકોમાં જોશ જોવા મળી રહ્યો છે. ઉધના ખાતે આવેલી કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ સેનાની કાર્યવાહીને બિરદાવી હતી અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

Similar News