જિલ્લામાં છે એક એવું ગામ કે જયાં શાળા સિવાય એક પણ પાકુ મકાન નથી

New Update
જિલ્લામાં છે એક એવું ગામ કે જયાં શાળા સિવાય એક પણ પાકુ મકાન નથી

રાજય સરકાર ભલે વિકાસના દાવા કરતી હોય પણ અમે તમને બતાવવા જઇ રહયાં છે એક એવું ગામ કે જયાં શાળા સિવાય એક પણ પાકુ મકાન નથી અને 100 જેટલા પરિવારો સુવિધાઓના અભાવે હાડમારીભર્યુ જીવન જીવી રહયાં છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ધારી તાલુકાનું રાજગરીયા નેસ. આ ગામમાં સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહયો છે. સરકારના વિકાસના દાવાઓની ગામમાં હવા નીકળી જાય છે. સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવાની વાતો કરતી હોય પણ આ ગામમાં સુલભ શૌચાલય પણ બનાવાયાં નથી. ગામમાં 100 જેટલા ઘરો આવેલાં હોવા છતાં રસ્તો નથી અને રસ્તો નથી એટલે લોકોને એસટી બસની સુવિધાનો લાભ મળતો નથી. લોકો પાસે મોબાઇલ છે પણ નેટવર્ક નથી. આવી તો કઇ કેટલી સુવિધાઓ છે જે હજી સુધી લોકોને મળી નથી.

દેશના ભવિષ્ય સમાન બાળકો પાંચ કિલોમીટર સુધી ચાલીને શાળાએ જાય છે પણ શાળાએ જતો રસ્તો જંગલમાંથી પસાર થતો હોવાથી જંગલી જાનવરોનો ખતરો સતત મંડરાતો રહે છે. નર્મદાના નીર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચ્યાં છે પણ રાજગરીયા નેસ સુધી નહિ. આજે પણ પીવાના પાણી માટે ગામલોકો કુવા પર નિર્ભર છે. લોકોના જણાવ્યા મુજબ આ ગામ જંગલ પાસે આવેલું હોવાથી વનવિભાગના જટિલ કાયદા અહીં વિકાસમાં રાડા નાખી રહ્યા છે.

વનવિભાગ આ ગામ રેવન્યુ હોવાનું જણાવે છે અને રેવન્યુ વિસ્તાર આ ગામ જંગલનું હોવાનું જણાવે છે સરકારના બે ખાતા સામે સામા આવી સતત ખો આપી રહ્યા છે જેથી ગામમાં વિકાસના નામે સાવ મીંડુ છે.

ગ્રામજનો કાચા માટીના મકાનમાં રહે છે અને કાચા મકાનો હોવાથી વરસાદમાં સતત પાણી ટપકે છે અને કીચડથી આખી બજારો ઉભરાઈ જાય છે. ફોર વ્હીલ વાહન નહી હોવાથી લોકોને પગપાળા જ ગામની બહાર જવું પડે છે. રાજગરીયા નેસમાં 5 ગામડાઓની ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે પરંતુ ગ્રામ પંચાયતની કચેરી જ નથી.

ગામમાં સરપંચ છે તલાટી મંત્રી છે પરંતુ કોઈ કચેરી જ નથી. ગ્રામ પંચાયતને લગતાં દસ્તાવેજો અને દાખલાઓ મેળવવા માટે છેક ધારી સુધીનો ધક્કો થાય છે. રાજગરીયા નેસથી ધારીનું અંતર 40 કીમી જેટલું છે. વિકાસશીલ ગુજરાતનો વિકાસ તેમના ગામ સુધી પણ પહોંચે તેવી માંગ ગ્રામજનો કરી રહયાં છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories