અંકલેશ્વર : નવા હરીપુરા ગામે તસ્કરોએ મકાનને બનાવ્યું નિશાન, રોકડ સહિત સોના-ચાંદીના ઘરેણાંની કરી ચોરી

New Update
અંકલેશ્વર : નવા હરીપુરા ગામે તસ્કરોએ મકાનને બનાવ્યું નિશાન, રોકડ સહિત સોના-ચાંદીના ઘરેણાંની કરી ચોરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામે નિશાળ ફળિયાના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામમાં આવેલ નિશાળ ફળિયામાં રહેતા ચેતનાબેન પ્રમોદભાઈ પટેલ ગત તા. 14મી ઓક્ટોબરના રોજ વાલિયાના દોડવાડા ગામ ખાતે પોતાની પુત્રીની સાસરીમાં ગયા હતા. તે દરમ્યાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.

સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા 9 હજાર મળી કુલ 52 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે તાલુકા પોલીસે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories