અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજરોજ નવ જેટલા રખડતા ઢોરને પકડી  માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. રસ્તે રખડતા ઢોર ના ત્રાસ અને અકસ્માતોની સમસ્યાને નિવારવા નોટિફાઇડ એરિયા ઓથોરિટી સક્રિય થઈ રસ્તે રખડતા ઢોર ને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નોટીફાઈડની ટીમ દ્વારા સરદારપાર્ક ,ગણેશપાર્ક સહીતના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી શરુ કરી છે.આજરોજ નવ જેટલા ઢોર ને પકડીડબ્બે પુરી માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી યથાવત રાખવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.