ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ વિસ્તાર સ્થિત હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તાજીયા આયોજકોની અગત્યની મિટિંગ મુલ્લાવાડ વિસ્તાર સ્થિત હલીમશાહ દરગાહ ખાતે સૈયદ આરીફ બાવાની અધ્યક્ષતામાં યોજાય હતી. જેમાં આવનાર તહેવાર મોહર્રમ પર્વની ઉજવણી વિષે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ મિટિંગમાં તાજીયા જુલુસ વિષે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં પરવાનગીવિદ્યુતબોર્ડનગરપાલિકા જેવા વિવિધ ખાતાઓને લગતા કામો વિષે ચર્ચાઓ કરાય હતી.

આ પ્રસંગે તાજીયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલઉપપ્રમુખ નુરુ કુરેશીસેક્રેટરી વસીમ ફડવાલાજોઈન્ટ સેક્રેટરી નજમુદ્દીન શેખઅમન પઠાણકૌસર કુરેશીઅબ્દુલ કાદર ઘંટીવાળાઅસ્પાક બાગવાલાસાકીર મલેકસમીર પઠાણહનીફ ભરૂચીલીગલ એડવાઈઝર હારુન રસીદ મલેક તથા મોટી સંખ્યામાં તાજીયા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.