ભરૂચ : પાલેજમાં ટ્રાન્સફોર્મરમાં લાગી આગ, જુઓ પછી લોકોના હાલ કેમ થયાં બેહાલ ...

ભરૂચ : પાલેજમાં ટ્રાન્સફોર્મરમાં લાગી આગ, જુઓ પછી લોકોના હાલ કેમ થયાં બેહાલ ...
New Update

ભરૂચ જિલ્લાના પાલેજના એસ કે નગર પાસે આવેલા DGVCL ના ડીપી માં આગ લાગતા સમગ્ર ધનજીશા જીન વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાતા લોકોની હાલત કફોડી બની હતી.


પાલેજના એસ. કે. નગર વિસ્તારમાં આવેલા DGVCLના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે રહીશોના જીવ તાળવે ચોંટયા હતા. રહીશોએ દોડી જઈ રેતીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે વાયરો સળગી જતા સમગ્ર ધનજીશા જીન વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકો ગરમીમાં શેકાયાં હતાં. આગ લાગ્યાની જાણ DGVCL કચેરીમાં કરાતા DGVCLના કર્મીઓએ દોડી આવી  સમારકામ હાથ ધર્યું હતું. એક કલાકની જહેમત બાદ રીપેરીંગની કામગીરી પુર્ણ થઇ હતી. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં જ વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

#Gujarat #Palej #Fire News #Transformer Fire
Here are a few more articles:
Read the Next Article