/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/15175808/maxresdefault-107-108.jpg)
ભરૂચ જીલ્લામાં કોરોનાને વધતો અટકાવવા માટે સરકારી રાહે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે જેમાં ભરૂચ કલેકટર કચેરી ખાતે જીલ્લા વિકાસ અધિકારી અને કલેકટરની ઉપસ્થિતિમાં કોરોનાની જાગૃતિ અંગે કોરોનાની શપથ વિધિ યોજાઇ હતી. ભરૂચ જીલ્લામાં કોરોના જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃતિઓ ચરસીમાએ છે ઘણી સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સને એવોર્ડ અપાયા બાદ હવે કોરોના અંગે લોકો શપથ લઈ રહ્યા છે.
આ શપથમાં કોરોના અટકાવવા માટેના વિવિધ માપદંડોનું પાલન કરાવવા અંગે શપથ લેવડાવવામાં આવે છે જેમાં માસ્ક ધારણ કરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવી વગેરેનો સમાવેશ થાય છે. હાલ જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયની આગેવાનીમાં કોરોના અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેકટર કચેરીના સ્ટાફ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ ઝઘડીયા તાલુકાનાં રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે શપથ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ મથકના કર્મચારીઓએ કોરોના વાયરસ અંગે સહકર્મી તેમજ સ્વજનો માટે સાવચેત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.