/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/01112257/BHR-CURRANT-MOAT.jpg)
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોને કરંટ લાગતાં એક વ્યક્તિનું પર મોત નીપજયું તો અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી.
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં લોઢવાડના ટેકરા નીચે નદીકિનારે ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે એક જ પરિવારના ત્રણ લોકોને વીજ કરન્ટ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કપડાં સૂકવવા ગયેલી માતાને કરન્ટ લાગતા તેને બચાવવા ગયેલા બે પુત્રોને પણ કરન્ટ લાગ્યો હતો. દુર્ઘટનામાં એક યુવાન પુત્રનું મોત થયુ હતું.
મળતી માહીતી મુજબ, લોઢવાડના ટેકરા નીચે નદી કિનારાની ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓડ પરિવારની મહિલા મંજુબેન ઉદયસંગ ઓડ વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ કપડાં સૂકવવા જતા તેમને કરન્ટ લાગ્યો હતો. માતાને કરન્ટ લાગતા તેના બે પુત્રો ભરત અને અર્જુન બચાવવા જતા બન્નેને પણ કરન્ટ લાગ્યો હતો. અર્જુને લાકડાનો સપાટો મારી છોડાવાનો પ્રયાસ કરતા તાર તેને વીંટળાઈ ગયો હતો અને તેને વધુ વીજ કરન્ટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. માતા અને ભાઈને વીજ કરન્ટથી બચાવવા જતા અર્જુન ઓડે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઉલ્લેખને છે કે, ઓડ પરિવારના ઘરના પતરાં ને અડીને ઘરની વીજ લાઈનો વાયર છે. જેનો કરન્ટ પતરાંમાં ઉતરતો હતો. કપડાં સુવવાનો તાર ઘરના પતરા માટે લગાવેલ ગેલવેનાઇઝની એંગલ સાથે બાંધેલો હતો. જેને લઈ કપડાં સુકવવાના તારમાં પણ કરન્ટ ઉતરતો હતો. જેના કારણે દુર્ઘટના બની હતી. બનાવના પગલે એ ડિવિઝન પોલીસે મૃતક અર્જુન ઓડની લાશનો કબજો મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.