ભરૂચ : પત્રકારોને આર્યુવેદિક ઉકાળા તથા રોગ પ્રતિકારક શકિત વધારતી દવાઓનું વિતરણ
BY Connect Gujarat16 April 2021 11:16 AM GMT
X
Connect Gujarat16 April 2021 11:16 AM GMT
કોરોનાના કહેરની વચ્ચે ફરજ બજાવી રહેલાં પત્રકારોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે ઉકાળા તથા દવાઓનું વિતરણ કરાયું હતું.
ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે સ્થિતિ વિકટ બની રહી છે. આવા સંજોગોમાં દરેક વ્યકતિના મનમાં ડર પેસી ગયો છે. ભરૂચ શહેર તથા જિલ્લાના સમાચારો અને ઘટનાઓના કવરેજ માટે દોડતાં રહેતાં પત્રકારો માટે વહીવટીતંત્ર તેમજ નગરપાલિકાના ઉપક્રમે આર્યુવેદિક ઉકાળા તેમજ દવાઓના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને મુખ્ય અધિકારી સંજય સોની સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
Next Story