ઝઘડિયા તાલુકાના સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં પૂર્વ ડીજીપી ડી.જી. વણઝારા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં તેઓના હસ્તે મંદિર પરિષરમાં નિર્માણ પામેલ નવા રૂમનું લોકાર્પણ કરાયું હતુ.

આ પ્રસંગે ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી તેમજ સાધુ સંતો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.