/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/27194711/1-15.jpg)
ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા પર બનાવવામાં આવેલાં સ્પેશિયલ કોવીડ સ્મશાન ગૃહ ખાતે રોજબરોજ કરૂણ દ્રશ્યો જોવા મળી રહયાં છે. કોવીડ સ્મશાન ખાતે પાંચ વર્ષના પુત્રએ તેના પિતાને અગ્નિદાહ આપ્યાં હતાં. આજે દિવસ દરમિયાન કોવીડ સ્મશાનગૃહ ખાતે 28 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આજના દિવસે જ એક વૃધ્ધ દંપતિએ પણ સાથે જ ફાની દુનિયાને અલવિદા કહી હતી.
ભરૂચમાં કોરોનાના કહેરના કારણે કેટલાયે પરિવારોના માળા વિખેરાય ગયા છે .કોણ કોણે સહારો આપે કોણ કોણે સાંત્વના આપે તેવી વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. રોજે રોજ ભરૂચના કોવિડ સ્મશાનમાં કરુણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આજરોજ મંગળવારે બપોર સુધીમાં 28 જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં એક પાંચ વર્ષના બાળકે પોતાના પિતાને અગ્નિદાહ આપતા સૌ ઉપસ્થિતો ની આંખોના ખુણા ભીના થઈ ગયા હતા. આજ રીતે ભરૂચના વેજલપુર વણીયાવાડમાં રહેતા વૃદ્ધ દંપતીનું પણ કોરોનાના કારણે મૃત્યુ થતા બન્નેના મૃતદેહને એક સાથે અગ્નિદાહ આપવામાં આવ્યાં હતાં. ભરૂચમાં છેલ્લા એક સપ્તાહથી સરેરાશ 50થી વધુ મૃતદેહો કોવીડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે આવી રહયાં છે.