ભરૂચ: નગર સેવા સદનનું રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર, વિપક્ષે ગણાવ્યું બોગસ બજેટ

New Update
ભરૂચ: નગર સેવા સદનનું રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર, વિપક્ષે ગણાવ્યું બોગસ બજેટ

ભરૂચ નગર સેવા સદન્ની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી જેમાં રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી.

ચૂંટણી બાદ આજરોજ ભરૂચ નગર સેવા સદનના સભા ખંડમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં પ્રમુખ અમિત ચાવડા, ઉપ પ્રમુખ નિના યાદવ અને ચીફ ઓફિસર સંજય સોની તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 8.67 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી. શહેરના બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણના કામોને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનો સત્તાપક્ષ દ્વાર દાવો કરવામાં આવ્યો છે.

આ તરફ વિપક્ષ કોંગ્રેસે બજેટને બોગસ ગણાવ્યું છે. કોંગ્રેસના નેતા સમસાદ સૈયદે જણાવ્યુ હતું કે શાસકો દ્વારા બોગસ બજેટ રજૂ કરાયું છે . બજેટમાં જે આંકડા આપવામાં આવ્યા છે ખોટા છે અને સરકારમાંથી આવેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉપયોગ વગર આમ જ પડી રહી છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.