Connect Gujarat
Featured

ભરૂચ: કોરોનાના કહેર વચ્ચે રમઝાન ઇદના પર્વની ઉજવણી, મસ્જિદમાં સિમિત લોકોએ નમાઝ અદા કરી

ભરૂચ: કોરોનાના કહેર વચ્ચે રમઝાન ઇદના પર્વની ઉજવણી, મસ્જિદમાં સિમિત લોકોએ નમાઝ અદા કરી
X

ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે આજરોજ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મસ્જીદમાં ચાર લોકોએ ભેગા થઇ ઇદની નમાઝ અદા કરી તો ઘણા લોકોએ ઘરમાં જ રહી અલ્લાહની બંદગી ગુજારી હતી.

હાલ કોરોના વાયરસનો કાળો કહેર વર્તી રહ્યો છે જેની અસર તહેવારો અને ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઈદ ઉલ ફિત્ર એટલેકે રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આમ તો ઇદની નમાઝ દર વર્ષે ઇદગાહ મેદાન પર અદા કરવામાં આવે છે જો કે આ વર્ષે કોરોનાના સંક્રમણના પગલે ઇદગાહ પર ઇદની નમાઝ મોકૂફ રાખવામાં આવી હતી.

૩૦ દિવસ રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ ઘણી મસ્જિદોમાં માત્ર ચાર લોકોએ ભેગા થઇ નમાઝ અદા કરી હતી તો મોટાભાગના લોકોએ તેમના ઘરે ઇદની નમાઝ અદા કરી અલ્લાગની બંદગી ગુજારી હતી.લોકોએ એક મેકને ઇદના પર્વની શુભકામના પણ પાઠવી હતી અને કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી દુર થાય એવી ગુજારીશ કરી હતી.

Next Story