New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/11130348/dfgfd.jpg)
અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત અને ભરૂચ શહેર બહારના રાણા સમાજ પરિવારના ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાણા સમાજના શિશુ -૧ થી લઇને ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.અખિલ ભારત રાણા સમાજની સ્થાપના ૧૯૭0માં કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં અનિલ રાણા, ડૉ. હાર્દિક રાણા, ડૉ. ભવદીપ રાણા, રાજેશ રાણા, દેવેન્દ્ર રાણા, દક્ષાબેન રાણા, નિરાલી રાણા રશ્મિકાંત રાણા,અરવિંદ તલાટી, બાબુભાઈ મહેશ્વરયા સહિત કમિટીના અગ્રણીઓ તથા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં. સમાજ માટે વિશેષ યોગદાન આપનારા રાણા સમાજના આગેવાનોને પણ સન્માનિત કરાયાં હતાં.
Latest Stories